Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦ઃ થાઈલેન્ડના કાર્યકારી સર્વોચ્ચ પિતૃઆર્ક સોમદેત ફ્રા રેશાયનામુનિ, વાટ દેબસિરિન્દ્રવાસના ડેપ્યુટી મઠાધિપતિ ફ્રા કિટ્ટીસારમુનિ કુલફોલ અને થાઈ બૌદ્ધ સંઘના અન્ય સભ્યોના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય થાઈ સાધુ પ્રતિનિધિમંડળ છ દિવસની ભારતની મુલાકાતે આવ્યું છે. જેમાં મંત્રીઓ સાથે મુલાકાત અને ગુજરાતની યાત્રાનો સમાવેશ થાય છે. તેમને રાજ્યના મહેમાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. પ્રતિનિધિમંડળનું આયોજન ઈન્ટરનેશનલ બૌદ્ધ કન્ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રવાસ દરમ્યાન જામનગરની હોટલ લોર્ડ્ઝ ઈન ના મહેમાન બન્યા હતા. જ્યાં હોટલના જનરલ મેનેજર ભાવેશભાઈ રાઠોડ દ્વારા આવકારી સત્કારવામાં આવ્યા હતા. ઉપરાંત રામાયણના એકટર ગગન શર્માએ પણ હોટલમાં ધર્મગુરૃના આશીર્વાદ મેળવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial