Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના દરિયાકાંઠે ઉભા થઈ ગયેલા આઠ ધાર્મિક દબાણ હટાવાયા

પોલીસ તથા વનવિભાગની ટીમે દરિયાઈ સુરક્ષાને દૃઢ બનાવવા દબાણો દૂર કર્યાઃ

                                                                                                                                                                                                      

વર્તમાન પરિસ્થિતિમાં દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાના પંચકોશી એ ડિવિઝન તથા બેડી મરીન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલા લેન્ડીંગ પોઈન્ટ પાસેના કેટલાક અન અધિકૃત દબાણો તેમજ ધાર્મિક દબાણો દૂર કરવા અને મરીન સેન્ચ્યુરી તેમજ ખીજડીયા બર્થ સેન્ચ્યુરીની બાયો ડાયવર્સિટીને જોખમરૂપ દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી. જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે જામનગર પોલીસે એસપી પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ અને વનવિભાગના અધિકારીઓને સાથે રાખી દબાણ હટાવ કામગીરી શરૂ કરી હતી. જુદા જુદા સાત જેટલા સ્થળે પોલીસે જેસીબી સહિત સાધનોથી અંદાજે ૧૫ હજાર ચોરસ ફૂટમાં પથરાયેલા નવ હજાર ચોરસ ફૂટ બાંધકામો દૂર કરી નાખ્યા છે. છેલ્લા દસેક વર્ષથી આ દબાણો ઉભા થઈ ગયા હતા. તેને દૂર કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh