Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં આરોપીને દસ વર્ષની સખત કેદ

સગીરાએ ટ્રેનમાંથી કૂદી જવાનો કર્યાે હતો પ્રયાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગરની એક સગીરા પર ચાર વર્ષ પહેલાં એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનેલી સગીરા ચાલુ ટ્રેને કૂદી જવાનો પ્રયાસ કરતી હતી ત્યારે એક સેવાભાવી વ્યક્તિ એ તેને બચાવી લીધી હતી અને પોલીસ સમક્ષ લઈ જઈ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને દસ વર્ષની કેદ ફટકારી છે. સગીરાને રૂ.ર લાખ વળતર પેટે ચૂકવાશે.

જામનગરના ધનંજય ઉર્ફે ધના ઉર્ફે ધર્મેશ અમૃતલાલ જોષી નામના શખ્સે વર્ષ ૨૦૨૧માં એક સગીરાને દુષ્કર્મનો ભોગ બનાવ્યાની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. આ શખ્સ સામે આઈપીસી ૩૭૬ (ર) (જે) (એન), પોકસો એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો.

તે કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી ધનંજય અમૃતલાલ જોષીને તકસીરવાન ઠરાવી દસ વર્ષની કેદ અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. સગીરાને રૂ.ર લાખનું વળતર કમ્પેઈન્સેશનમાંથી ચૂકવવામાં આવશે. સરકાર તરફથી ડીજીપી જમનભાઈ ભંડેરીએ દલીલો કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ સગીરા દુષ્કર્મનો ભોગ બન્યા પછી કંટાળી જઈને ટ્રેનમાં બેસી ગઈ હતી. તેણીએ અમદાવાદથી સુરત જતી વખતે વડોદરા પાસે ટ્રેનમાંથી કૂદી આત્મહત્યા કરવાનો પ્રયાસ આદર્યાે હતો. આ વેળાએ ટ્રેનમાં સાથે રહેલા એક વ્યક્તિએ તેણીને બચાવી લઈ આત્મહત્યા કેમ કરવી છે? તેમ પૂછતા આ સગીરાએ દુષ્કર્મની વાત કરી હતી અને તે વ્યક્તિએ જામનગર પોલીસ સમક્ષ તે સગીરાને લઈ જઈ વાત કર્યા પછી ગુન્હો નોંધાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh