Advertisement
Author: નોબત સમાચાર

પીઠડ માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ

ખંભાળીયા તાલુકાના લાલપરડા ગામે ઉજવાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: ખંભાળીયા તાલુકાના લાલપરડા ગામે સમગ્ર વસરા પરિવાર ના સંયુકત આયોજનથી પીઠડ માતાજીના ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વસરા પરિવાર દ્વારા પીઠડ માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે.

આ મહોત્સવમાં જામનગરના જાણીતા આહીય યુવા બિલ્ડર નિશિતભાઈ વસરા તેમજ વસરા પરિવાર દ્વારા આહિર સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મેરામણભાઈ ભાટુનું માતાજીની છબિ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે સમાજના આગેવાનો, સમસ્ત ગ્રામજનો અને તમામ લોકોએ માં પીઠડના દર્શનનો લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh