Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રૂપિયા ૯૪ કરોડના ખર્ચે નિર્મિત બે પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

તા. ૨૭મી મે ના મહાત્મા ગાંધી મંદિરે યોજાનારા મુખ્ય કાર્યક્રમ દરમ્યાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામાનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર થયેલ રૂ. ૯૪ કરોડના બે પ્રોજેક્ટોનું આગામી તા. ૨૭ના વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામા આવનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક પ્રકલ્પોનું આગામી તા. ૨૭ના લોકાર્પણ કરનાર છે. જેમાં જામનગરના બે પ્રોજેક્ટનો સમાવેશ થા છે. જો કે મુખ્ય કાર્યક્રમ અમદાવાદ ગાધીનગરના મહાત્મા મંદિરનો યોજાશે. અને ત્યાથી વર્ચ્યુઅલી માધ્યમ મારફત વડાપ્રધાન અનેક કાર્યક્રમોને લોકાર્પણ કરશે.

જામનગર પોલીસ હેડ ક્વાર્ટર્સ પાછળના વિસ્તારમાં રૂ. ૬૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ૫૪૪ આવાસ તથા રૂ. ૨૯ કરોડના ખર્ચથી નાખવામાં આવેલ નવી પાઈપલાઈન મળી કુલ રૂ. ૯૪ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે. જામનગરથી અમુક લોકો ગાંધીનગર પહોંચનાર હોવાનું પણ જાણવા મળેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh