Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ રાવલીયા પાડા તથા રામનાથ સોસાયટીમાં છલકાતી ગટરો

કાયમી ત્રાસદાયક સમસ્યા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૧: ખંભાળિયા શહેર વિસ્તારમાં આવેલ રામનાથ સોસાયટીના એક શેરી વિસ્તારમાં તથા નજીક આવેલા રાવલીયા પાડા વિસ્તારમાં ઘી ડેમ જવાના રસ્તા પર ગટરો છલકાતા તથા ગંદુ પાણી રસ્તા પર ફેલાતા લોકોમાં ભારે રોષ સાથે પરેશાની થાય છે.

રામનાથ સોસાયટી વિસ્તારની એક શેરીમાં જમીનની ગટરોમાં નડતરરૂપ બાંધકામ થતાં તથા ગંદા પાણીનો નિકાલ ના થતાં ગટરો ઉભરાઈને નજીક રહેતા બે પરિવારજનોના ઘરમાં ગંદા પાણી ઘુસી જતાં હોય પરિવારજનો દ્વારા પરેશાની અંગે પાલિકા તંત્રને ફરિયાદ કરી છે.

રામનાથ સોસાયટીની નજીકના વિસ્તાર રાવલીયા પાડા વિસ્તારમાં પણ નજીકમાં આવેલા શકિતનગર વિસ્તારમાં ટેલિફોન એક્ષચેંજ જતાં રસ્તા પરની પાણી તથા ગટરની લાઈનો ભારે વાહનો નીકળતા લીકેજ થતાં ગંદુ પાણી છેક રાવલીયા પાડા સુધી પહોંચતા ત્યાં રહેતા લોકોને ગંદા પાણીથી રોજ ગંદકી તથા મચ્છરોની સમસ્યા સતાવે છે.

તાજેતરમાં રાવલીયા પાડા વિસ્તારમાં રાવલીયા પરિવારોના માતાજીના મંડપમાં પણ આ તકલીફ થતાં ધાર્મિક પ્રસંગમાં ગંદા પાણી તથા ગંદકીથી લોકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh