Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એરોડ્રામ રોડ પરની મિલકતનો મામલોઃ
જામનગર તા. ૨૧: જામનગરના એક મહિલાએ સાસુ, સસરા, નણંદ તથા નણંદોયા સામે અદાલતમાં એક મિલકતના વેચાણ દસ્તાવેજને રદ્દ કરવા તેમજ કબજો પરત મેળવવા દાવો કર્યાે હતો. તે દાવો નામંજૂર રાખવામાં આવ્યો છે.
જામનગરના એરોડ્રામ રોડ પર હર્ષવર્ધન સુરેન્દ્રનાથ પંડયા નામના આસામીની જુનવાણી બાંધકામવાળી મિલકત આવેલી હતી. તે મિલકત હર્ષવર્ધનભાઈએ પોતાની પુત્રી તથા જમાઈને વેચાણ દસ્તાવેજથી વેચી હતી. તે પછી અવસાન પામનાર હર્ષવર્ધનભાઈના અવસાન પામનાર પુત્ર ધર્મેશ પંડયાના પત્ની હેતલબેન કિશોરભાઈ ગણાત્રાએ સસરા તેમજ સાસુ, નણંદ, નણંદોયા સામે દાવો કર્યાે હતો.
આ મહિલાએ તે મિલકત તેમના પતિ ધર્મેશ પંડયાની આવકમાંથી ખરીદવામાં આવી હોવાનું અને તે મિલકતમાં ધર્મેશ પંડયાનો હક્ક, હિસ્સો હોવાનું જણાવી તેમાં પોતાનો પણ હક્ક છે તેમ જણાવી નણંદ છાયાબેન તથા નણંદોયા પ્રદીપ પોપટલાલ ભટ્ટને કરી અપાયેલો દસ્તાવેજ રદ્દ કરવા તથા કબજો પરત અપાવવા માગણી કરી હતી.
ચાલુ દાવાએ હર્ષવર્ધન તથા તેમના પત્ની ભારતીબેનનું અવસાન થયું હતું. નોટીસ મળતા હાજર થયેલા છાયાબેન ભટ્ટ વગેરેએ અદાલતમાં જવાબ રજૂ કર્યાે હતો. જેમાં તેઓએ છાયાબેન અને પ્રદીપભાઈ શુદ્ધબુદ્ધિના ખરીદનાર હોવાનું જણાવ્યું હતું અને હેતલબેને પોતાના પતિ ધર્મેશભાઈના અવસાન પછી તેમની તમામ મિલકત વેચી પુનઃ લગ્ન કર્યા પછી વિદેશ જતા રહ્યા હોવાની વિગતો રજૂ કરી હતી. તેને ગ્રાહ્ય રાખી અદાલતે વાદી હેતલબેન કિશોરભાઈ ગણાત્રાનો દાવો નામંજૂર કરી ખર્ચ ચૂકવી આપવા આદેશ કર્યાે છે. પ્રતિવાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial