Advertisement
Author: નોબત સમાચાર

ખેતરમાં કામ કરતા શ્રમિકને આવ્યો હૃદયરોગનો પ્રાણઘાતક હુમલોઃ મૃત્યુ

દરિયામાં ઝાળ નાખતી વખતે માછીમાર ડૂબ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: કાલાવડના ખંઢેરામાં એક ખેતરમાં કામ કરી રહેલા શ્રમિકને હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજયું છે. સચાણાના માછીમાર દરિયામાં માછલી પકડવાની ઝાળ નાખવા જતી વખતે ઝાળમાં ફસાઈને દરિયામાં ડૂબ્યા હતા. તેઓનું પણ મૃત્યુ થયું છે.

કાલાવડના ખંઢેરા ગામમાં આવેલા કેશુભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના લુણાજા ગામના વતની નગીન ભાઈ માનસીંગભાઈ નાયકા (ઉ.વ.૩૦) નામના શ્રમિક ગઈકાલે સવારે ખેતરમાં કામ કરતા હતા ત્યારે અચાનક ચક્કર આવતા પડી ગયા હતા સારવાર માટે કાલાવડ દવાખાને લઈ જવાયેલા આ યુવાનને હૃદયરોગનો હુમલો આવી ગયાનું જાહેર થયું છે. મૃતકના સંબંધી નવલભાઈ નારસીંગ નાયકાએ પોલીસને જાણ કરી છે.

જામનગર તાલુકાના સચાણા ગામના જાફરભાઈ રઝાકભાઈ કકલ (ઉ.વ.૩૪) નામના માછીમાર ગયા ગુરૂવારની રાત્રે સચાણા નજીક દરિયાકાંઠે માછીમારી કરતા હતા ત્યારે તેઓએ દરિયામાં માછલી પકડવા ઝાળ નાખી હતી. તેમાં ફસાઈ જતાં જાફર ભાઈ દરિયામાં ઉથલી પડ્યા હતા. આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. આબીદ કકલે પોલીસને જાણ કરતા બેડી મરીન પોલીસના સ્ટાફે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh