Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા પાણી પુરવઠા યોજના માટે હેવી જનરેટર વસાવવા ઉઠતી માંગણી

ન.પા. કારોબારી સમિતિના પૂર્વચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા રજુઆત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: ખંભાળીયા શહેરની પાણી પુરવઠા યોજનામાં હાલ એકાંતરા એટલે કે બે દિવસે એક વખત પાણી વિતરણ થાય છે, પરંતુ ગમે ત્યારે વીજકાપ લાંબો  આવતા વિતરણ વ્યવસ્થામાં ખલેલ પહોંચતી હોય, પાલિકા વોટરવર્કસમાં મોટું જનરેટર કાયમી ધોરણે વસાવવા પાલિકાતંત્રને તથા ઉચ્ચતંત્રને પૂર્વ પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું હતું કે જયારે વીજકાપ હોય ત્યારે પાણી પુરવઠા તંત્ર ૫ાલિકાનું બંધ રહેતા પાણી વિતરણ તે દિવસે બંધ રહે છે. હાલ બે દિવસે એક વખત પાણી આવે છે ત્યારે વીજકાપ થાય ત્યારે ત્રણ દિવસે એક વખત થઈ જાય છે, જેથી નાના ગરીબ લોકોને પાણી સંગ્રહના સાધનો ના હોય પરેશાની થાય છે. જેથી મોટું હેવી જનરેટર જો ઘી ડેમ વોટરવર્કસ પાલિકામાં રાખવામાં આવે તો જયારે પાણી વિતરણ વીજકાપમાં બંધ હોય ત્યારે પણ વીજ પુરવઠા વગર પાણી વિતરણ નિયમિત રહી શકે.

આલ કરોડોના ખર્ચે પાણીના વ્યવસ્થિત વિતરણ માટે ટાંકી તથા પાઈપલાઈનના કામો નલ સે જલ ની યોજનામાં ચાલે છે ત્યારે જો આ હેવી જનરેટરની સુવિધા પણ ખંભાળીયા પાલિકા વોટર વર્કસમાં થાય તો શહેરના લોકોને હાલ વીજકાપ વખતે પાણી વિતરણ બંધ રહે છે તે પૂર્વવત રહે તેમ હોય આ વ્યવસ્થા ગોઠવવા માંગ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh