Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ઝોનલ કચેરીમાં બાળકોના કે.વાય.સી. નહીં થતા રાશનથી વંચિત

શું બાળકોને ખાવા નહીં જોતુ હોય ?

                                                                                                                                                                                                      

જામનગર તા.  ૨૧: જામનગરની ઝોનલ કચેરીમાં બાળકોના કે.વાય.સી. થતું નહીં હોવાથી બાળકોને રાશનથી વંચિત રાખવામાં આવ્યા છે. આમ, સરકારના વિવિધ વિભાગમાં સંકલનનો અભાવ અને અણઘડ કામગીરીના કારણે ગરીબ-સામાન્ય લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.

હાલમાં રાશનકાર્ડ અન્વયે કે.વાય.સી.ની કામગીરી ચાલી રહી છે જેમાં અપૂરતા સ્ટાફ, સુવિધાના કારણે રાશનકાર્ડધારકો પરેશાન થઈ રહ્યા છે. કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે આમ છતાં અમુક રાશનકાર્ડ ધારકોના કામ થતાં નથી.

આજે અમુક અરજદારો પોતાના બાળકોના કેે.વાય.સી. માટે ઝોનલ કચેરીમાં ગયા હતાં પરંતુ ત્યાં ફરજ પરના કર્મચારીએ એવો જવાબ આપ્યો હતો કે બાળકોના કે.વાય.સી. થતા નથી. પરિણામે બાળકોના ભાગનું રાશન આખા પરિવારને મળતું નથી. જયારે ઉપરી અધિકારી એમ કહે છે કે બાળકોને રાશન આપવું જોઈએ. આ મુદ્દે જાગૃત કોર્પોરેટર રચનાબેન નંદાણીયા પણ ઝોનલ કચેરીએ પહોંચ્યા હતા. હવે તેઓ સંભવતઃ મામલતદાર સમક્ષ આ મુદ્દે રજુઆત  કરનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh