Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નકસલી સંગઠનનો મહામંત્રી અને દોઢ કરોડના ઈનામી બસવા માર્યો ગયો
રાયપુર તા. ૨૧: છતીશગઢમાં સુરક્ષાદળોએ ૩૦ નકસલીઓને ફુંકી માર્યા હોવાના અહેવાલો છે. દોઢ કરોડનો ઈનામી એક નકસલી નેતા પણ માર્યો ગયો છે, અને એક જવાન શહીદ થયો હોવાના અહેવાલો છે.
છત્તીસગઢમાં આજે સવારે નારાયણપુર જિલ્લાના અબુઝમાડ જંગલમાં સુરક્ષા દળોએ ૩૦ નકસલીઓને ઠાર માર્યા હતા. ૨૦ લોકોના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. આ એન્કાઉન્ટર દંતેવાડા, નારાયણપુર અને બીજાપુર જિલ્લાની સરહદ પર ચાલી રહ્યું છે. માર્યા ગયેલા નકસલીઓમાં મોટા કેડર નકસલીઓનો પણ સમાવેશ થાય છે.
પોલીસને માહિતી મળી હતી કે નક્સલવાદી પોલિટબ્યુરોનો સભ્ય અને નક્સલવાદી સંગઠનનો મહાસચિવ બસવા રાજુ અબુઝમાડના બોટેરમાં છે. બસવા રાજુ પર ૧.૫ કરોડ રૂપિયાનું ઈનામ હતું. સુરક્ષા દળોએ તેને ઘેરી લઈને તેના સહિત ૩૦ નકસલીઓને ઠાર કર્યા છે. રાજયના ગૃહમંત્રી વિજય શર્માએ એન્કાઉન્ટર અંગે માહિતી આપી છે.
ગોળીબારમાં એક સૈનિક શહીદ થયો હોવાનું પણ જાણવા મળે છે.
પોલીસે ૭ દિવસ પહેલાં એક પ્રેસ-કોન્ફરન્સમાં કર્રેગુટ્ટા ઓપરેશન વિશે માહિતી આપી હતી. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર આવેલા કર્રેગુટ્ટા પહાડીઓમાં ૨૪ દિવસ ચાલેલા ઓપરેશનમાં સુરક્ષા દળોએ ૩૧ નક્સલીને ઠાર માર્યા હતા, જેમાં ૧૬ મહિલા અને ૧૫ પુરુષ નક્સલીનો સમાવેશ થાય છે.
નક્સલી સૂત્રોના જણાવ્યા અનુસાર, છત્તીસગઢમાં છેલ્લાં ૪૦ વર્ષમાં હિડમા એકમાત્ર નક્સલી છે, જેને સંગઠનની ટોપ-૨ ટીમ (સેન્ટ્રલ કમિટી)માં સ્થાન મળ્યું છે. તે પણ જ્યારે નક્સલ સંગઠનમાં આંતરિક સંઘર્ષ હતો એ સમયે તેનો બસ્તરના નક્સલવાદીઓનો માત્ર ઢાલ તરીકે ઉપયોગ કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial