Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૈકલ્પિક માર્ગો સૂચવાયાઃ બન્ને તરફ લગાવાશે દિશાસૂચક બોર્ડ
ખંભાળિયા તા. ૨૧: ખંભાળિયામાં મીલન ચાર રસ્તાની સલાયા દ્વારકા તરફ જતાં રસ્તા પર અંડર બ્રીજ રેલવેનો કરોડો રૂપિયાના ખર્ચે બનતો હોય તેની કામગીરી હવે રેલવે પાટાના મેઈન સ્થળ સુધી પહોંચતા ગઈકાલથી રેલવે ફાટક નં. ૨૩૫ રેલવેએ અંડર બ્રીજના કામે રસલાયા-ખંભાળિયા રોડ પરનો રસ્તો બંધ કરીને વૈકલ્પીક રૂટ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩ (૧૩) (અ) હેઠળ અંડરબ્રીજની થતી કામગીરીમાં રસ્તો બંધ થયો હોય વૈકલ્પીક રસ્તા માટે ટુ વ્હીલર તથા ફોર વ્હીલરવાળાઓને સોનલ માતાજીના મંદિર જડેશ્વર રોડ પાસે અંડર બ્રીજ રેલવેમાંથી થઈને નીકળવા અથવા મિલન ચાર રસ્તાથી ખામનાથ મંદિર થઈ કણઝાર કરવા રસ્તા થઈને દ્વારકા હાઈવે પર જવા અને ભારે વાહનોએ મહારાણા પ્રતાપના પુતળા પાસેથી જામનગર દ્વારકા નેશનલ હાઈવેનો ઉપયોગ કરીને દ્વારકા તરફ જવાનું રહેશે.
આ ડાયવર્ઝન રૂટની શરૂઆત તથા અંતના ભાગમાં રેલવે તંત્ર દ્વારા ડાયવર્ઝન અંગેના સાઈન બોર્ડ લોકો વાચી શકે અને જોઈ શકે તેવી રીતે ફરજિયાત લગાવવા પણ જણાવાયું છે.
આ વૈકલ્પીક રસ્તાનો હુકમ બીજો હુકમ ના થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તથા આ જાહેરનામા ભંગ કરનાર સામે કાયદેસર પગલા લેવામાં આવશે. ખંભાળિયામાં બે સ્થળે અંડરબ્રીજ તથા એક સ્થળે ઓવરબ્રીજ બનવાનું મંજૂર થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial