Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલાના ડાયવર્ઝનમાં લાંબુ અંતર કાપવું પડે છેઃ
ખંભાળિયા તા. ર૯: ખંભાળિયામાં સલાયા રોડ પર રેલવે તંત્ર દ્વારા અંડર બ્રીજનું કામ ચાલી રહ્યું છે. જેમાં ફાટક નજીક કામ ચાલુ હોવાથી અચોક્કસ મુદ્ત માટે ફાટકનો રસ્તો બંધ થઈ ગયો છે.
દરરોજ આ માર્ગ પરથી મોટી સંખ્યામાં વાહનો નીકળે છે અને આ માર્ગ ઉપર સરકારી હોસ્પિટલ, જિલ્લા કોર્ટ, દ્વારકા-સલાયા તરફ જનારા વાહનોની અવરજવર રહે છે.
આ માર્ગ બંધ થવાથી વૈકલ્પિક રસ્તાઓ (ડાયવર્ઝન) રાખવામાં આવ્યા છે, તેમાં ત્રણ કિ.મી. જેટલું ફરવા જવું પડતું હોય, લોકોમાં આક્રોશ સાથે ઉહાપોહ શરૂ થયો હતો અને અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થતા તંત્ર દ્વારા જડેશ્વર અંડરબ્રીજ પાસેથી બે ડાયવર્ઝન બનાવવા કાર્યવાહી શરૂ કરી છે. જેમાં એક રસ્તો જડેશ્વર અંડરબ્રીજ પાસેથી દ્વારકા રોડ ભાજપ કાર્યાલય પાસે થઈને તથા બીજો રસ્તો સીધો હર્ષદપુરમાં થઈને કોર્ટ પાસે નીકળે તેવી વ્યવસ્થા કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial