Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢ્યોઃ
જામનગર તા. ર૯: કલ્યાણપુરના સીદસરા ગામમાં એક પ્રૌઢ ગઈકાલે પોતાના ખેતર સ્થિત કૂવામાં કોઈ રીતે પગ સ્લીપ થતાં લપસી પડ્યા પછી ડૂબી જતાં મોતને શરણ થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સીદસરા ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા બાપાલાલસિંહ બહાદુરસિંહ જાડેજા નામના ત્રેપન વર્ષના પ્રૌઢ ગઈકાલે સવારે નવેક વાગ્યે પોતાના ખેતરે હતા.
આ વેળાએ તેઓ કૂવામાંથી પાણી ભરવા માટે ગયા ત્યારે કોઈ રીતે પગ સ્લીપ થઈ જતાં કૂવામાં પડી ગયા હતા. તે દરમિયાન સીદસરામાં વાડી વિસ્તારમાં એક કૂવામાં કોઈ વ્યક્તિ પડી ગયાની ખંભાળિયા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર તથા સ્ટાફ ધસી ગયા હતા. આ ટીમે કૂવામાંથી તેઓને બહાર કાઢવાના શરૂ કરેલા પ્રયત્નમાં બાપાલાલસિંહનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. વીરભદ્રસિંહ બહાદુરસિંહ જાડેજાનું નિવેદન નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial