Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના રબારીકામાં કૂવામાં કોઈ રીતે પડી ગયેલા યુવાનનું મૃત્યુ

દસેક વર્ષ પહેલાં છૂટાછેડા પછી એકલા જીવતા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: જામજોધપુરના રબારીકા ગામના એક યુવાનના દસેક વર્ષ પહેલા છૂટાછેડા થયા પછી હાલમાં એકલવાયુ જીવન જીવતા હતા. તેઓ ગઈકાલે એક ખેતર સ્થિત કૂવામાં કોઈ રીતે પડી ગયા પછી મોતને શરણ થયા છે. પોલીસે તેમના નાનાભાઈનું નિવેદન નોંધ્યું છે.

જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં રહેતા પંકજ  દેવશીભાઈ ચાવડા નામના ૪૩ વર્ષના આહિર યુવાન ગઈકાલે સવાર પછી પોતાના ઘરેથી નીકળ્યા પછી હીમીબેન હમીરભાઈ ચાવડાના ખેતરમાં આવેલા કૂવા પાસે પહોંચ્યા હતા. તે પછી આ યુવાન કોઈ રીતે કૂવામાં પડી ગયા હતા.

તેની જાણ થતાં પંકજભાઈને અન્ય વ્યક્તિઓએ બહાર કાઢી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. બનાવની પોલીસને ગોવિંદભાઈ દેવશીભાઈ ચાવડાએ જાણ કરી છે. મૃતક ના નાનાભાઈના જણાવ્યા મુજબ પંકજભાઈના લગ્ન થયા પછી દસેક વર્ષથી તેઓના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારપછી એકલવાયુ જીવન જીવતા આ યુવાન કૂવામાં પડી જતા મૃત્યુ પામ્યા છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh