Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી તારીખો હવે પછી જાહેર થશે
જામનગર તા. ર૯: આજે સાંજે કરવામાં આવનાર મોકડ્રીલને કોઈ કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. આ માટેની નવી તારીખો હવે પછી જાહેર થશે.પડોશી દુશ્મન દેશના નાપાક ઈરાદાઓ સફળ ન થાય તે માટે ભારત સરકાર સતત સર્તકતા દાખવી રહી છે, અને ઓપરેશન સિંદૂરની સફળતા પછી આજે તા. ર૯-પ-ર૦રપ ના સાંજે પાંચ વાગ્યે મોકડ્રીલનું આયોજન જામનગરના એરફોર્સમાં કરવામાં આવ્યું હતું, તેમજ સાંજે ૮ થી ૮-૩૦ સુધી બ્લેક આઉટ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચના અનુસાર આજના મોકડ્રીલ અને અંધારપટનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. તેમ જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial