Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો. ૯ થી ૧૨માં એડમિશન માટે
જામનગર તા. ૨૯: શિક્ષણ વિભાગ સંચાલિતશ્રી વિભાજી સરકારી હાઈસ્કૂલ, જામનગરનું વર્ષ-૨૦૨૪-૨૫ નું ધોરણ -૧૦ બોર્ડનું પરિણામ ૧૦૦% તેમજ ધોરણ-૧૨ બોર્ડનું પરિણામ ૭૮.૯૫% આવેલ છે. આ શાળામાં આચાર્ય પી.એન.પાલા તેમજ કાર્યદક્ષ શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે સંસ્કાર તેમજ સહ અભ્યાસ પ્રવૃત્તિઓથી સિંચન કરવામાં આવે છે. તેમજ ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે.
શ્રીવિભાજી સ્કૂલ આધુનિક સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઈબ્રેરી તેમજ તમામ ભૌતિક સુવિધાઓથી સુસજ્જછે. જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવહારની ઉત્તમ સુલભતા છે.
આ શાળા સરકારી શાળા હોય વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ શિક્ષણ તેમજ પાઠ્ય પુસ્તકો મફત આપવામાં આવે છે. ધોરણ-૯ થી ૧૨ માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ વહેલી તકે પ્રવેશ ફોર્મ શાળામાંથી મેળવી પ્રવેશ મેળવી લેવા તેમજ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે તેમ શાળાના આચાર્યએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial