Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ સાથે વળતર ચૂકવાશેઃ
જામનગર તા. ર૯: જામનગરના એક આસામીએ મેળવેલી વીમા પોલિસી અંગે વળતર ચૂકવવાનો ઈન્કાર કરાતા ગ્રાહક ફોરમમાં રાવ કરાઈ હતી. ફોરમે રૂ.૧ કરોડ ઉપરાંતની રકમનું વળતર ચૂકવી આપવા હુકમ કર્યાે છે.
જામનગરના વિજયભાઈ નગાભાઈ ભંંભાણા નામના આસામીએ ટાટા એઆઈએ લાઈફ ઈન્સ્યુરન્સ કંપની પાસે રૂ.૧ કરોડની જીવન વીમા પોલિસી મેળવી હતી. ત્યાર પછી તેમનું નિધન થતાં તેમના વારસોએ કંપનીને જાણ કરતા ક્લેઈમ ચુકવવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
આ વ્યક્તિઓને વીમા કંપનીએ જણાવ્યું હતું કે, અન્ય પોલિસી અંગેની વિગત છુપાવવામાં આવી હતી, વીમા કંપની સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૧ કરોડ પ૮૯૮૦ની રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા અને રૂ.પ હજાર ફરિયાદ ખર્ચ પેટે પણ આપવા આદેશ કર્યાે છે. અરજદારો તરફથી વકીલ બી.એન. શેઠ, નીશ શેઠ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial