Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અસહ્ય ઉકળાટઃ મહત્તમ તાપમાન ૩પ.ર ડીગ્રી

ભેજનું પ્રમાણ ૭૮%

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૭૮ ટકાએ પહોંચી જતા ગઈકાલે પણ અસહ્ય ઉકળાટ યથાવત્ રહ્યો હતો. મહત્તમ તાપમાન ૩પ.ર ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં વાદળોના આંટાફેરા વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩ ટકા વધીને ૭૮ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે અસહ્ય બફારો યથાવત્ રહ્યો હતો. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કવાની સાથે લોકો પરસેવે રેબઝેબ થઈને ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.

નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક વધીને મહત્તમ તાપમાન ૩પ.ર ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન ર૮ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ધીમે-ધીમે ઠંડક પ્રસરતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh