Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-બનારસ એક્સપ્રેસ કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરીમાં ઊભી રહેશે

યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ર૯: યાત્રીઓની સુવિધા અને સંચાલન સંબંધિત કારણોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નં. રર૯૬૯/રર૯૭૦ ઓખા-બનારસ સુપર ફાસ્ટ એક્સપ્રેસના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશનને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઊભી રહેશે.

જેમાં ટ્રન નં. રર૯૬૯ ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ૩૧ જુલાઈ ર૦રપ થી આગામી સૂચના સુધી કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનનો ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય ૧૯-ર૦/૧૯-રપ વાગ્યાનો રહેશે.

ટ્રેન નં. રર૯૭૦ બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ર૬ જુલાઈ ર૦રપ થી આગામી સૂચના સુધી કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનનો ગોવિંદપુરી રલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય ૩-રપ, ૩-૩૦ વાગ્યાનો રહેશે.

ઉપરાંત આ ટ્રેનના આગમન/પ્રસ્થાનના સમય, કોચ કમ્પોઝિશન, સ્ટોપેજ વગેરેમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh