Advertisement
Author: નોબત સમાચાર

નગરની મહિલાએ પતિ સામે ત્રાસ આપ્યાની કરી ફરિયાદ

નાની બાબતોમાં વાંક કાઢી ઝઘડા કર્યાઃ

જામનગર તા.૧ ઃ જામનગરના એક પરિણીતાને પતિએ નાની વાતોમાં વાંક કાઢી ઝઘડા શરૃ કર્યા પછી ઢીકાપાટુથી માર મારતા પિયર પરત ફરેલા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ઢીંચડા રોડ પર આવેલા વાયુનગરમાં વસવાટ કરતા ઈશરતબેન અલ્તાફભાઈ સમા (ઉ.વ.ર૦)ના નિકાહ થોડા સમય પહેલા ફરદીન ફિરોઝભાઈ નોતિયાર સાથે થયા પછી એકાદ અઠવાડિયા સુધી સારી રીતે રાખ્યા પછી પતિએ કંકાસ શરૃ કર્યાે હતો.

નાની વાતોમાં વાંક કાઢી ઝઘડાઓ શરૃ કરી ફરદીને અવારનવાર પત્નીને ગાળો ભાંડી હતી અને ઢીકાપાટુ વડે માર મારી ત્રાસ આપ્યો હતો. સાતેક મહિના પહેલા પિયર પરત ફરેલા ઈશરતબેને ગઈકાલે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠટળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh