Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લામાં ગઈકાલે કોરોનાના ચાર પોઝિટિવ કેસ નોંધાયા

કોરોના સંક્રમણ યથાવતઃ

જામનગર તા. ૧ઃ જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત્ જળોાઈ રહ્યું છે. ગઈકાલે વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતાં જેમાં બે શહેરી વિસ્તારના અને બે તાલુકાના કેસનો સમાવેશ થાય છે.

જામનગરના શ્રીનિવાસ કોલોનીમાં રહેતા ઘ૦ વર્ષના કારખાનેદાર તથા ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા એક મોબાઈલ વિક્રેતાના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં. આ બન્નેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ બન્નેના પરિવારજનોના પણ કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતાં, જો કે કોઈનો પણ રિપોર્ટ પોઝિટિવ મળ્યો ન હતો.

શહેરમાં ગઈકાલે ૧૦ સેમ્પલ લેવાયા હતાં જેમાંથી બે પોઝિટિવ કેસ નોંધાયા હતાં. ત્રણ દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતાં. હાલ ૧૭ એક્ટિવ કેસ છે જ્યારે હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ નથી.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જામનગર તાલુકામાં એક અને જામજોધપુર તાલુકામાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ બન્ને દર્દીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હાલ નવ એક્ટિવ કેસ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh