Advertisement
Author: નોબત સમાચાર

ગંભીર બીમારીઓની સારવાર માટે વપરાતી દવાઓની આયાત પર કસ્ટમ ડ્યુટી ખતમ

કેન્દ્ર સરકારે અસાધ્ય-ગંભીર બીમારીઓના દર્દીઓને આપી રાહતઃ

નવી દિલ્હી તા. ૧ઃ કેન્દ્ર સરકારે તમામ પ્રકારની ગંભીર બીમારીઓની સારવાર માટે ખાનગી ઉપયોગમાં આયાત કરવામાં આવતી બધી દવાઓ અને ખાદ્ય પદાર્થો પરથી ડ્યુટીમાં પૂરી છૂટ આપી દીધી છે. નાણા મંત્રાલયે કહ્યું હતું કે, ગંભીર બીમારીઓ માટે નેશનલ પોલિસી ફોર રેર ડિસીઝ ર૦ર૧ હેઠળ યાદીમાં સમાવિષ્ટ ગંભીર બીમારીઓ માટે દવાઓ પર આ છૂટ લાગુ પડશે. અસાધ્ય અને ગંભીર બીમારીઓની સારવાર કરી રહેલા દર્દીઓને લાભ થશે. એ સાથે સરકારે કેન્સરની દવાને પણ કસ્ટમ ડ્યુટીમાંથી છૂટ આપી છે. સામાન્ય રીતે દવાઓ પર ૧૦ ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે, જ્યારે કેટલીક જીવનરક્ષક દવાઓ અને રસીઓ પર છૂટની સાથે પાંચ ટકા ટેક્સ લાગે છે અથવા એને સંપૂર્ણ રીતે ડ્યુટી ફ્રી રાખવામાં આવે છે. આ રોગોની સારવાર માટે જરૃરી દવાઓ અથવા વિશેષ ખાદ્ય પદાર્થ મોંઘા હોય છે અને એને આયાત કરવાની જરૃરી હોય છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ છૂટથી ગણી ખર્ચમાં બચત થશે અને દર્દીઓને રાહત મળશે. સરકારે વિવિધ કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી પેમ્બ્રોલિજુમાબ (કિટુડા) ને પણ બેઝિક કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh