Advertisement
Author: નોબત સમાચાર

હૃદયરોગના હુમલાથી માછીમારનું મૃત્યુ

ઓખાની પેસેન્જર જેટી પર બોટમાં હતા નિદ્રાધીનઃ

જામનગર તા.૧ ઃ ઓખાની પેસેન્જર જેટી પર રાખવામાં આવેલી એક માછીમારી બોટમાં ગઈકાલે નિદ્રાધીન થયેલા માછીમારને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.

ઓખાના આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વતની પ્રહલાદભાઈ ભીખુભાઈ હડપતિ નામના બેતાલીસ વર્ષના યુવાન માછીમારી કરીને પરત આવ્યા પછી ગઈકાલે ઓખાની પેસેન્જર જેટી પાસે રાખવામાં આવેલી અલ-બગદાદી નામની બોટમાં સૂઈ ગયા હતા.

આ યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. તે પહેલા પ્રહલાદભાઈનું મૃત્યુ થયું છે. દલસુખભાઈ ટંડેલે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh