Advertisement
Author: નોબત સમાચાર

પીર લાખાસરમાં દુકાનમાં તાળા તોડી ચોરી

રૃા.૪ હજાર રોકડા અને આધાર કાર્ડ ઉઠાવી ગયો!

જામનગર તા.૧ ઃ ખંભાળિયાના પીર લાખાસર ગામમાં આવેલી એક દુકાનમાં મંગળવારની રાત્રે ત્રાટકેલા કોઈ તસ્કરે તાળું તોડી અંદર ઘૂસ્યા પછી રૃા.૪ હજાર રોકડા અને દુકાનદારના આધાર કાર્ડની ચોરી કરી લીધી છે. ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામમાં રહેતા અને ત્યાં છૂટક સામાનની દુકાન ચલાવતા ગફારભાઈ ઓસમાણભાઈ ગજ્જર ગઈ તા.૨૮ની રાત્રે આઠેક વાગ્યે પોતાની દુકાન બંધ કરીને ગયા પછી તા.ર૯ની સવારે દુકાને આવ્યા તે દરમિયાન તેમની દુકાનમાં ચોરી થઈ ગઈ હતી.

રાત્રિના સમયે દુકાનનું તાળું તોડી નાખી ઘૂસેલા કોઈ તસ્કરે ખાંખાખોળા કરી દુકાનમાંથી રૃા.૪ હજારની રોકડ શોધી કાઢી હતી અને તસ્કર ગફારભાઈનું આધાર કાર્ડ પણ તફડાવી ગયો હતો. આ બાબતની ગઈકાલે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા પોલીસે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૮૦, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh