Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાની વ્યાજમાફી યોજનાની મુદ્ત એક મહિના માટે લંબાવાઈ

નગરજનોનો સારો પ્રતિસાદ મળતા

જામનગર તા. ૧ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી વ્યાજ માફી યોજનાને સારો પ્રતિસાદ મળ્યો હતો. આથી તેની મુદ્તમાં એક માસનો વધારો કરવામાં આવ્યો છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ ર૦૦૬ સુધીની રેન્ટબેઈઝ તથા ર૦૦૬ પછીની કારપેટબેઈઝ પદ્ધતિ મુજબ મિલકત વેરાની રકમ ઉપર ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના તા. ૧પ-ર-ર૦ર૩ થી તા. ૩૧-૩-ર૦ર૩ સુધી જાહેર કરવામાં આવી હતી. આ યોજનાને સારો પ્રતિસાદ મળતા આ યોજના તા. ૧-૪-ર૩ થી તા. ૩૦-૪-ર૩ સુધી વધારવામાં આવી છે.

તા. ૩૦-૩-ર૦ર૩ સુધીમાં ૯ર૭૩ લાભાર્થીઓ દ્વારા મિલકતવેરો રૃા. ૮.૧૩ કરોડ ભરપાઈ કરી રૃા. ૬.ર૭ કરોડ વ્યાજ માફીનો લાભ મેળવેલ છે, જ્યારે તા. ૩૦-૩-ર૦ર૩ સુધીમાં રૃા. ૭૯.પ૭ કરોડની મિલકતવેરા પેટે આવક થવા પામી છે.

મિલકતવેરો/વોટર ચાર્જના બીલની બજવણી કરી દેવામાં આવી છે. જેમને બીલ મળ્યા ન હોય તે જુના વેરા બીલ/પહોંચ સાથે રાખી બીલની રકમ ભરપાઈ કરી શકે છે અથવા મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જામનગર મહાનગરપાલિકાના મુખ્ય અને ત્રણેય કલેક્શન સેન્ટર ઉપર ઓનલાઈન વેરો ભરપાઈ કરી શકાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh