Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રામ નવમી પર્વ નિમિત્તે લોહાણા સમાજ દ્વારા સમૂહ ભોજન સમારોહ

આયુષમાન કાર્ડના કેમ્પનો લાભ બહોળા પ્રમાણમાં જ્ઞાતિજનોએ લીધોઃ સારસ્વત બ્રાહ્મણોનું નાત જમણ યોજાયુંઃ

જામનગર લોહાણા સમાજ દ્વારા રામનવમી મહાપર્વ નિમિત્તે સાત રસ્તા પાસે કોમર્સ કોલેજના વિશાળ ગ્રાઉન્ડમાં 'અયોધ્યાનગરી'ના સમિયાણામાં લોહાણા જ્ઞાતિજનો માટે સમૂહ ભોજન સમારોહ યોજાયો હતો. જ્ઞાતિની પરંપરા પ્રમાણે પહેલા પૂજનમ વિધી તેમજ સારશ્વ બ્રાહ્મણોનું પૂજન-આરતી પછી સારશ્વત બ્રાહ્મણોનું નાત જમણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી લોહાણા સમાજનું ભોજન શરૃ કરવામાં આવ્યું હતું. આ સમીયાણામાં જ્ઞાતિજનો માટે આયુષમાન કાર્ડ કાઢી આપવા માટેનો પણ એક કેમ્પ રાખવામાં આવ્યો હતો જેનો બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. ગઈકાલે ૮ વાગ્યા થી મોડી રાત્રી સુધી પચ્ચીસેક હજારથી પણ વધુ જ્ઞાતિજનોએ ભોજનનો લાભ લીધો હતો. સમૂહ ભોજનમાં વરિષ્ઠ વયના તેમજ વિકલાંગો માટે ખાસ અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમૂહ જ્ઞાતિ જમણ માટે રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ જામનગરના જીતુભાઈ લાલ (પ્રમુખ લોહાણા સમાજ), રમેશભાઈ દત્તાણી, રાજુભાઈ હિંડોચા, ભરતભાઈ કાનાબાર, ભરતભાઈ મોદી, મધુભાઈ પાબારી, રાજુભાઈ કોટેચા, રાજુભાઈ મારફતીયા, મનોજભાઈ અમલાણી, અતુલ પોપટ, મનિષ તન્ના, નિલેશ ઠકરાર, અનિલ ગોકાણી દ્વારા સમગ્ર આયોજનને પાર પાડવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh