Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પરપ્રાંતિય પ્રૌઢનો ફાંસો

જામનગર તા.૧ ઃ જામનગરની ડિફેન્સ કોલોનીમાં વસવાટ કરતા એક પરપ્રાંતિય પ્રૌઢે ગઈકાલે રાત્રે પોતાના ઘરે અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે મૃતકના પુત્રનું નિવેદન નોંધ્યું છે.

જામનગરની ડિફેન્સ કોલોની વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગ નજીક વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના જાલોલ જિલ્લાના વતની શેરસિંગ બલરામભાઈ કુશવાહ નામના પંચાવન વર્ષના પ્રૌઢે ગઈકાલે રાત્રે કોઈ અગમ્ય કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી પોતાના રહેણાંકમાં છતમાં રહેલા હુંકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો.

આ બાબતની આજે સવારે ચારેક વાગ્યે તેમના પુત્ર રાહુલને જાણ થતાં તેઓએ પિતાને નીચે ઉતારી સારવારમાં લઈ જવાની તજવીજ કરી હતી પરંતુ તે પહેલા આ પ્રૌઢ મૃત્યુ પામ્યા હતા. રાહુલ કુશવાહે પોલીસને જાણ કરી છે. એએસઆઈ કે.કે. નારીયાએ મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. કરાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh