Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત-પાક. વચ્ચે તંગદિલીનની અસરઃ
દ્વારકા તા. ૧૭: સામાન્ય રીતે દર વર્ષે ઉનાળું વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં યાત્રીકો તથા આસપાસના શિવરાજપુર બીચ સહિતના ટુરીસ્ટ આકર્ષણોને લીધે સહેલાણીઓનું ઘોડાપૂર જોવા મળતું હોય છે. પરંતુ આ વર્ષે ગત સપ્તાહમાં ભારત- પાકિસ્તાન વચ્ચેના તંગદિલીભર્યા વાતાવરણને લીધે સલામતીની દૃષ્ટિએ સહેલાણીઓએ દ્વારકા પ્રવાસ ટાળ્યો છે યા તો મુલતવી રાખ્યો છે જેના કારણે ઉનાળું વેકેશન ચાલુ હોવા છતાં દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ, ગોપી તળાવ, રૂકમણી મંદિર, શિવરાજપુર બીચ સહિતના યાત્રાધામ તથા પ્રવાસન સ્થળો પર યાત્રીકો તથા સહેલાણીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તાજેતરમાં પૂનમ વખતે ભાવિકોનો વ્યાપક ઘસારો જોવા મળ્યો હોય ફરીથી યાત્રીકોનો પ્રવાહ ધમધમવાની આશા જાગી હતી પરંતુ હાલમાં ગત વર્ષોની સાપેક્ષમાં ઓછા ટુરીસ્ટ જોવા મળી રહ્યા છે. હોટેલ સંચાલકો તથા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓએ હજુ પણ ઉનાળું વેકેશનના ત્રણ-ચાર અઠવાડિયા બાકી હોય યાત્રાળુઓનો પ્રવાહ વધે તેવો આશાવાદ વ્યકત કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial