Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરવાળામાં યુવકને પાઈપથી લમધારી નખાયોઃ
જામનગર તા. ૧૭: જામનગરના ગોવાળ મસ્જિદ વિસ્તારમાં ગઈકાલે બપોરે એક યુવાન પર જોડિયાના શખ્સે છરીથી જીવલેણ હુમલો કર્યાે હતો. હુમલાખોરના પરિવારની એક મહિલા સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થઈ જતાં આ યુવાનને માર પડ્યો હતો. જ્યારે વરવાળામાં યુવકને ચાર શખ્સે પાઈપથી લમધારી નાખ્યો હતો.
મોરબી શહેરના મૂળ વતની અને હાલમાં જામનગર સ્થિત ચૂનાના ભઠ્ઠા પાસે રહી રિક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા મામદ અબ્દુલ ખુરેશી નામના મતવા યુવાન ગઈકાલે બપોરે ગોવાળ મસ્જિદ સામે આવેલી ગોવાળ ફળી પાસે હતા ત્યારે જોડીયાનો સલીમ યુનુસ ખુરેશી નામનો શખ્સ ધસી આવ્યો હતો.
આ શખ્સે બોલાચાલી કર્યા પછી મામદની હત્યા કરવાનો ઈરાદો રાખી પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી હુમલો કરી દીધો હતો. આ શખ્સે વીંઝેલી છરીથી મામદને હાથ, ગળા, માથામાં ઈજા થઈ હતી. તે પછી સલીમે ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો. મામદે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ સલીમના પરિવારના એક મહિલા સાથે અગાઉ મામદ અબ્દુલને પ્રેમ સંબંધ હતો અને બંને વ્યક્તિ ફોન પર વાતચીત કરતા હતા તેની જાણ સલીમ યુનુસને થઈ જતાં ગઈકાલે જોડીયાથી સલીમ યુનુસ જામનગર આવ્યો હતો અને તેણે હુમલો કર્યાે હતો.
દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં રહેતા સોયબ ઉર્ફે મીની અલાઉદ્દીન બેલીમ નામના માછીમાર પર મંગળવારની રાત્રે વરવાળામાં બશીર રાઠોડ, રવિભાઈ બ્રાહ્મણ તથા બે અજાણ્યા શખ્સે પાઈપથી હુમલો કરી સોયબને ફ્રેક્ચર કર્યું હતું.
મંગળવારની રાત્રે મસ્જિદ બહાર રિક્ષામાં સોયબ બેઠો હતો ત્યારે બશીરે પાઈપ ઝીંકી તેને પછાડ્યા પછી રમઝાનભાઈ પાસે કામ કરાવ્યું છે તેનું કામ કરી આપીશ તો તે રાજી થશે તેમ કહ્યા પછી રવિ અને અન્ય ચાર શખ્સ આવ્યા હતા. તેઓએ સોયબને અંંધારામાં લઈ જઈ આડેધડ ફટકા મારી ત્રણ ફ્રેક્ચર કરી નાખ્યા હતા. દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial