Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રંગમતિ નંદીના ૫ટ્ટમાં દબાણકારોને સાત દિવસની અંતિમ નોટીસ

રંગમતિ રીવરફ્રન્ટ અન્વયે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના રંગમતિ નદીના પટમાં દબાણકારોને સાત દિવસની અંતિમ નોટીસ

જામનગરના રંગમતિ નદીના પટમાં થયેલા દબાણો ને દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા સાત દિવસની નોટીસ આપવામાં આવી છે. આ પછી મહાનગરપાલિકા દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવશે.

જામનગર શહેરમાં રંગમતિ નદીના પટમાં તથા મહાનગરપાલિકાના રે.સ.નંબર ૨૯૮ની જગ્યા બનીયા વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામો કરવામાં આવ્યા છે. આવા દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા જી.પી.એમ.સી. એક્ટની કલમ મુજબ આદેશ કરાયો હતો.

આ પછી મહાપાલિકા દ્વારા રંગમતિ નદીમાં કરવામાં આવેલ દબાણોનો કબ્જો ખાલી કરવા મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી. આ પછી ત્યાનાં રહીશો દ્વારા ઘર સામાન ફેરવ્યા તથા  વૈકલ્પિક રહેણાંકમાં જવા માટે સમય આપવાની માંગણી કરવામાં આવી હતી. આથી જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને દબાણકારોની વિનંતી ધ્યાનમાં લેવામાં આવી હતી. એન માનવતાના ધોરણે આ બિનઅધિકૃત મકાનોમાં રહેલ માલ-સામાન સાત દિવસમાં સ્વેચ્છાએ ખાલી કરવા તમામ સંબંધકર્તાઓને જાણ કરી દેવામાં આવી છે. આમ, છેલ્લા સાત દિવસની આખરી મહેલત આપવામાં આવી છે આ પછી દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh