Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં ઉષ્ણતામાનનો પારો ૧.૨ ડિગ્રી ઉંચકાયોઃ મહત્તમ ૩૭.૨ ડિગ્રી

વેગીલા વાયરાઓ વચ્ચે ગરમીમાં વધારોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે છેલ્લા ૪૮ કલાકમાં ઉષ્ણતામાનમાં ૧.૨ ડિગ્રીનો વધારો થયો છે. અ સાથે મહત્તમ તાપમાન ૩૭.૨ ડિગ્રીએ પહોંચી જતા પ્રજાજનોએ આકરા તાપની અનુભૂતિ કરી હતી.

જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે તાપમાનમાં વધારાનો દોર શરૂ થયો છે. છેલ્લા ૪૮ કલાકની વાત કરીએ મહત્તમ તાપમાનનો પારો ૧.૨ ડિગ્રી સુધી ઉંચકાયને ૩૭.૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક વધીને લઘુતમ તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનનાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો. ગઈકાલે સવારે સૂર્યદેવતાએ દેખા દીધા પછી વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગી હતી. અને બપોરે આકરો તાપ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું. અસહ્ય ગરમી અને બફારાના બેવડા મારથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી હતી. રાહત મળે તે માટે લોકોએ એ.સી., એરકુલર તથા ઠંડાપીણાનો સહારો લીધો હતો.

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પવનની ગતિ વધીને પ્રતિ કલાકની સરેરાશ ૪૦થી ૪૫ કિ.મી.ની રહેવા પામી હતી. વેગીલા વાયરાઓના પગલે સાંજથી ધીમે-ધીમે ગરમીનું જોર ઘટતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાત્રે ઠંડાપીણા-આઈસ્ક્રીમની અને દુકાનો પર લોકોની વધારે ભીડ જોવા મળી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh