Advertisement
Author: નોબત સમાચાર

નવી બનતી ઈમારતના સ્થળે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં બાળકનું મૃત્યુ

નેપાળી પરિવાર સ્તબ્ધ બની ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના ત્રિમંદિર વિસ્તારમાં નવી બનતી એક ઈમારતના સ્થળે ગુરૂવારે સાંજે એક શ્રમિક પરિવારનો ચાર વર્ષનો બાળક રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડી ગયા પછી ડૂબી જવાથી મોતને શરણ થયો છે.

જામનગરના ગુલાબનગર નજીકના ત્રિમંદિર વિસ્તારમાં વ્રજભૂમિ સોસાયટી પાસે વસવાટ કરતા નેપાળી પરિવારનો ચાર વર્ષનો પુત્ર ધર્મેશ ખડકસિંગ સુનાર ગુરૂવારે સાંજે નવા બનતા એક બિલ્ડીંગના કન્સ્ટ્રક્શનના કામના સ્થળે રમતો હતો ત્યારે કોઈ રીતે નજીકમાં આવેલા પાણી ભરેલા ખાડામાં પડી ગયો હતો.

આ બાળકને બહાર કાઢી સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાયા પછી આ બાળકનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. બાળક જ્યારે ખાડામાં પડ્યો ત્યારે ત્યાં હાજર લોકો દોડી ગયા હતા અને તેઓએ તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયો હતો. ચાર વર્ષના બાળકનું આવી રીતે અપમૃત્યુ થતાં તેના માતા-પિતા હતપ્રભ બની ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh