Advertisement
Author: નોબત સમાચાર

કેન્સરની બીમારીથી પીડાતા વેરાડના વૃદ્ધે ટ્રેન આડે ઝંપલાવી કરી આત્મહત્યા

શંકરટેકરીમાં પ્રૌઢનો અકળ કારણથી ગળાફાંસોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામજોધપુરના ધારાગર નજીક ફાટક પર પહોંચી વેરાડ ગામના એક વૃદ્ધે ટ્રેન આડે ઝંપલાવી લઈ આત્મહત્યા કરી છે. તેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા. જ્યારે શંકરટેકરીમાં એક પ્રૌઢે અગમ્ય કારણથી ગળા ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામના વતની અને વેરાડ ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા અરશીભાઈ રામભાઈ રાવલીયા ૬૨ વર્ષના વૃદ્ધ છએક મહિનાથી લીવરના કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેઓને રાજકોટની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી.

સારવાર લેવા છતાં સારૂ થતું ન હોવાથી અને દુખાવો થતો રહેતો હોવાથી કંટાળી ગયેલા અરશીભાઈએ ગઈકાલે સવારે જામજોધપુર નજીકના ધારાગઢ ફાટક પો પહોંચી ત્યાંથી પસાર થયેલી ટ્રેન આડે પડતું મૂકી આપઘાત કરી લીધો છે. આ વૃદ્ધનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર કપિલ રાવલીયાએ પોલીસને જાણ કરી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં શંકરટેકરી નજીક રહેતા પ્રેમજીભાઈ જીવાભાઈ વાઘેલા (ઉ.વ.પપ) નામના દેવીપૂજક પ્રૌઢે ગુરૂવારે રાત્રે દસેક વાગ્યે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણથી સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. સારવારમાં ખસેડવામાં આવ્યા પછી આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. દિનેશભાઈ બાબુ ભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh