Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં જલ મંદિરના કામનો કરાયો પ્રારંભ

પુત્રના લગ્નની ભેટની રકમમાં ઉમેરો કરી જલસંચય સેવાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: પુત્રના લગ્નમાં મળેલી ભેટની રકમમાં તેટલીજ રકમને ઉમેરો કરી જલસંચયના કામનો ધ્રોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના ઉપક્રમે જલસંચય પુનઃજીવન કાર્યની સમાજ ઉપયોગી કાર્યવાહી વર્ષોથી થઈ રહી છે. જામનગરમાં રહેતા મૂળ ધ્રોલના શરદભાઈ મનજીભાઈ શેઠ પરિવારના ચિ. જીતના લગ્ન પ્રસંગમાં તા. ૨૬-૧૨-૨૫ના પ્રાપ્ત થયેલ ભેટની રકમમાં તેટલીજ રકમનો ઉમેરો કરીને માદરે વતન ધ્રોલમાં જલસંચય સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. શેઠ પરિવાર તરફથી આ ધનરાશિ દ્વારા નિર્મિત થનાર શેઠ જલમંદિર કાર્યનો પ્રારંભ આજે સવારે થયો હતો. જેમાં રાજકીય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh