Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા સાડા પાંચ લાખના ચેક પરતનો મામલોઃ
જામનગર તા. ૧૭: જામનગરના એક નિવૃત્ત પોલીસ કર્મચારીએ શરૂ કરેલી ફાયનાન્સ પેઢી પાસેથી ધિરાણ મેળવનાર આસામી સામે ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આરોપી પક્ષે ફરિયાદીની લીધેલી ઉલટ તપાસમાં બહાર આવેલા તથ્ય પછી અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરના નિવૃત્ત ૫ોલીસ કર્મચારી અને શ્રી શક્તિ કૃપા એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા હાલુભા નાથુભા ઝાલા પાસેથી રૂ.પ લાખ ૫૦ હજાર અમૃતલાલ નાનજીભાઈ મારૂ ઉર્ફે ચીનાએ ધિરાણ પેટે મેળવી ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા હાલુભાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલવા પર આવતા બચાવ પક્ષે ઉલટ તપાસ લીધી હતી જેમાં ફરિયાદીએ પોતાના પર્સનલ ખાતામાંથી રૂ.૯૫ હજાર પાંચ ટકા વ્યાજ કાપી આપ્યાનું ખૂલ્યું હતું અને તેઓએ પોતાના અક્ષરમાં મોટી રકમ ભરી ચેક પરત ફેરવ્યાનું ખૂલ્યું હતું. અદાલતે આરોપી પક્ષના વકીલ સંજય દાઉદીયા, ભાવિકા જોષી, બી.એચ. જાડેજાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial