Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી પાણીને અવરોધરૂપ હોય તો જ તોડવાના...?
જામનગરના મોમાઈનગર, ગાંધીનગરમાં વરસાદી પાણીને અવરોધરૂપ બનાવાયેલ ત્રણ રહેણાંક મકાનનું ગેરકાયદે બાંધકામ આજે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાંજ સુધીમાં તમામ ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરી સંપૂર્ણ જગ્યા ખૂલ્લી કરવામાં આવશે. જામનગર શહેરના ગાંધીનગર, મોમાઈનગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ થાય તેવી રીતે ગેરકાયદે ત્રણ રહેણાંક મકાનનું બાંધકામ કરી લેવાયું હતુંં. આ અંગે અગાઉ જામનગર મહાનગરપાલિકાને સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ પણ મળી હતી. આ પછી મહાનગરપાલિકા દ્વારા બાંધકામ ધારકોને નોટીસ આપી હતી. આ પછી જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન. મોદીની સૂચનાથી આજે આ તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે રપ૦૦ ચો.ફૂટ જગ્યામાં થયેલા ત્રણ બાંધકામો તોડી પાડવાની કામગીરી આજ સવારથી શરૂ કરવામાં આવી છે. આ માટે ત્રણ જેસીબી સાથે પ૦ થી વધુનો સ્ટાફ કામે લગાડવામાં આવ્યો છે. સાંજ સુધીમાં તમામ અનઅધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવનાર છે. આ કામગીરી સમયે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial