Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના ત્રણ તથા ઓખાના એક શખ્સની પૂછપરછ માટે કરાઈ અટકાયત

એટીએસની ટીમ દ્વારા અજ્ઞાત સ્થળે પૂછપરછઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા / સલાયા તા. ૧૭: હાલની વર્તમાન પરિસ્થિતિમાં ગઈકાલે ઓખા તથા સલાયામાં રાજ્યની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ ધસી આવી હતી. આ ટૂકડીએ સલાયામાંથી ત્રણ અને ઓખામાંથી એક શખ્સને કોઈ બાબતે પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે ખસેડ્યાનું જાણવા મળી રહ્યું છે.

હાલમાં ભારત તથા ૫ાક. વચ્ચે તંગ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમુદ્ર નજીકના તથા સંવેદનશીલ વિસ્તાર ગણાતા સલાયા તથા ઓખા વિસ્તારમાંથી ચારેક શખ્સને ગાંધીનગરથી દોડી આવેલી એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ પૂછપરછ માટે લઈ ગયાની વિગતો બહાર આવી છે.

ગઈકાલે બપોર પછી સલાયા પંથકમાંથી ત્રણેક શખ્સને અને ઓખા પંથકમાંથી એક શખ્સને કોઈ ચોક્કસ કારણથી પૂછપરછ માટે એટીએસ દ્વારા લઈ જવામાં આવ્યા છે. જો કે, સ્થાનિક પોલીસને આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh