Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી મળી આવ્યો અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ

મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસઃ

જામનગર તા. ૨ઃ જામનગરના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.ર પરથી આજે સવારે એક પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો છે. રેલવે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૃ કરી છે.

જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.ર પરથી આજે સવારે એક અજાણ્યા પ્રૌૈઢનો મૃતદેહ મળી આવ્યો છે. રેલવે પોલીસના જમાદાર માલદેભાઈ તથા મયુરભાઈએ મૃતદેહનો કબજો સંભાળી તેને પી.એમ. માટે ખસેડ્યા છે.

મૃતક અંદાજે પંચાવનેક વર્ષની વયના લાગી રહ્યા છે. ઉપરોક્ત તસ્વીરવાળા મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ રેલવે પોલીસનો સંપર્ક કરવો. પોલીસે હાલમાં મૃતદેહને કોલ્ડરૃમમાં રખાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh