Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીનનો વિવાદ જીવલેણ બન્યોઃ પથ્થરમારો-લાકડીઓ ઉછળી
લખનૌ તા. રઃ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના રૃદ્રપુર કોતવાલી વિસ્તારમાં બે પક્ષો વચ્ચે ચાલી રહેલા જમીન વિવાદમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય સહિત કુલ ૬ લોકોની હત્યા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રૃદ્રપુર કોતવાલીના ફતેપુર લહેરાટોલા ગામમાં જમીનને લઈને યાદવ અને બ્રાહ્મણ પરિવાર વચ્ચે જુની અદાવત ચાલી રહી હતી. આજે સવારે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે બન્ને પક્ષોએ એકબીજા ઉપર લાકડી, ઈંટો, પથ્થર વડે હુમલો કરી દીધો હતો જેમાં પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય પ્રેમ યાદવ સહિત છ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે તેમજ ગામમાં પણ તણાવનો માહોલ છે.
આ ઘટનાની જાણ થતા પીએસીને ઘટના સ્થળે મોકલવામાં આવી છે. પોલીસ વિભાગે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial