Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી

આકરા તાપ-બફારાથી પ્રજાજનો બેહાલઃ

જામનગર તા. રઃ જામનગરમાં પડી રહેલા આકરા તાપ અને અસહ્ય બફારાથી જનજીવન અકળાઈ ઊઠ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં હાલ તાપમાનમાં વધારાનો દોર ચાલી રહ્યો છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું હતું. સવારે સૂર્યદેવતા ઉદીત થયા પછી ધીમે-ધીમે વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગી હતી અને બપોરે તે આકરા તાપમાં પરિણમી હતી. આ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૩ ટકા રહ્યું હતું, જેના પગલે બફારામાં પણ વધારો થયો હતો. આકરા તાપ અને અસહ્ય  બફારાથી જનજીવન અકળાઈ ઊઠ્યું હતું. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે પ્રજાજનો પરસેવે રેબઝેબ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. આકરા તાપ સામે રક્ષણ મળે તે માટે લોકોએ કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું.

નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૩.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh