Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ર૧ ઓકટોબરથી થશે ખરીદી
જાનમગર તા. રઃ જામનગર જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકો માટે ટેકાના ભાવો જાહેર કરાયા છે.
કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ વર્ષ-ર૦ર૩-ર૪ માં ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે છે, તે માટે લઘુત્તમ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. જેમાં પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે રૃા. ૬૩૭૭, મગ માટે રૃા. રૃ.૮પપ૮, અડદ રૃા. ૬૯પ૦ અને સોયાબીન રૃા. ૪૬૦૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવો જાહેર કરવામાં આવ્યા છે.
આ તમામ પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી તા. ર૧ ઓકટોબરથી શરૃ કરવામાં આવશે. આ ખરીદીમાં જે ખેડૂતો ઉકત પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય, તો તેઓએ આગામી તા. ૧૬ ઓકટોબર સુધીમાં ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોમાંથી વીસીઈ મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial