Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્યો, મેયર મનપાના પદાધિકારીઓ, વિપક્ષના નેતા, રાજકીય પક્ષોના હોદ્દેદારો, કોર્પોરેટરો વગેરે જોડાયા
આજે ગાંધી જયંતી નિમિત્તે જામનગરમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવાનો તેમજ પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ જુદી જુદી રાજકીય પાર્ટી દ્વારા યોજવામાં આવ્યો હતો. ભાજપના કાર્યક્રમમાં ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી અને આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ વિગેરે જોડાયા હતાં. જ્યારે કોંગ્રેસમાંથી મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ આગેવાન સહારાબેન મકવાણા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતનાઓ જોડાયા હતાં. આ ઉપરાંત જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ, શહેરના આગેવાન નિલેષ ભાલેરા વિગેરે અગ્રણીઓ પણ જોડાયા હતાં. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial