Advertisement
Author: નોબત સમાચાર

સૂત્રોચ્ચાર પર અને ધરણાં-રેલી સામેના જાહેરનામાનો વકીલો દ્વારા કરાયો વિરોધ

બંધારણમાં કરાયેલી જોગવાઈનો થઈ રહ્યો છે ભંગઃ

જામનગર તા. ૨ઃ જામનગરની સરકારી કચેરીમાં આવેદનપત્ર પાઠવવા આવતા લોકોને સરકારી કચેરી પાસે સૂત્રોચ્ચાર કરતા રોકતું અને ધરણાં, રેલી પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું થોડા દિવસ પહેલા પ્રસિદ્ધ થયું છે. તે જાહેરનામું તાકીદની અસરથી રદ્દ કરવા અન્યથા જાહેરનામું પ્રસિદ્ધ કરનાર અધિકારીઓ સામે ફરિયાદ કરવાની મંજૂરી માગતું આવેદન જામનગરના વકીલો દ્વારા પાઠવવામાં આવ્યું છે. ઉપરોક્ત જાહેરનામાથી ભારતીય બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈનો ભંગ થતો હોવાનું જણાવાયું છે.

જામનગરની સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપવા આવતા વ્યક્તિઓને ત્યાં સૂત્રોચ્ચાર કરવા તેમજ આવેદનપત્ર પાઠવવા આવતી વેળાએ રેલી સ્વરૃપે આવતા પહેલા અને ધરણાં યોજતા પહેલા મંજૂરી લેવા માટે થોડા દિવસો પહેલા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાથી ભારતીય બંધારણની કલમ-૧૯ (૧) તથા ૧૯ (ર)નો ભંગ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરૃદ્ધનું આ જાહેરનામું વહેલામાં વહેલી તકે રદ્દ કરવા અથવા જાહેરનામું પ્રસિદ્ધ કરનાર સામે ફરિયાદ દાખલ કરવા મંજૂરી આપવામાં આવે તેવી માગણી સાથે જામનગરના વકીલોએ શનિવારે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદન આપવા માટે જામનગર બાર એસોસિએશન ના પૂર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ એન.વી. ગોહિલ, એન.જે. પરમાર, આર.આર. ચૌહાણ, અનિલ મકવાણા, કિશન ગોહિલ, રાજેશ ડાભી, જયદીપ બૌદ્ધ, રાહુલ બૌદ્ધ સહિતના વકીલ મિત્રો સાથે રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh