Advertisement
Author: નોબત સમાચાર

બર્ધનચોકના વેપારીઓની નો-હોકિંગ ઝોનને અલગ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆતઃ મુલાકાત માગી

રહસ્યમય કારણોસર જામનગરના સ્થાનિક તંત્રો નિષ્ફળ જતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના બર્ધનચોક વિસ્તારમાં નો-હોકિંગ ઝોનની અમલવારી કરી દબાણો દૂર કરવા હવે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ફરજ પડી છે. બર્ધનચોક વેપારી એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, માંડવી ટાવર, દરબારગઢ, બર્ધનચોક વિસ્તારમાં જાહેર રોડમાં રસ્તા ઉપરના દબાણો દૂર કરવા હાઈકોર્ટનો આદેશ છે. આમ છતાં નો-હોકિંગ ઝોનની અમલવારી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. અહિં પાર્કિંગ અને મહિલાઓ માટે જાહેર યુરિનલની વ્યવસ્થા કરવી જોઈએ. આ વેપારી એસો. દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરવા માટે મંજુરી પણ માગવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh