Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલના નથુવડલામાં યુવાનનું આત્મઘાતી પગલું:
જામનગર તા. ૭: ધ્રોલના નથુવડલા ગામમાં એક ખેતમજૂરના પત્ની તેઓને કહ્યા વગર જ સંતાન સાથે નણંદના ઘેર ચાલ્યા જતા અને તે બાબતનું માઠું લાગી આવતા આ શ્રમિકે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે તેના પત્નીનું નિવેદન નોંધ્યું છે.
ધ્રોલ તાલુકાના નથુવડલા ગામની સીમમાં આવેલા બલવીરસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના નેસપુરા ગામના વતની ગૌતમભાઈ દિનેશભાઈ વસાનીયા (ઉ.વ.રપ) નામના શ્રમિકે સોમવારે સાંજે આ ખેતરમાં આવેલી ઓરડીમાં છત સાથેના પાઈપમાં ચુંદડી બાંધી ગળાટૂંપો ખાધો હતો.
આ બાબતની ત્યાં હાજર લોકોને જાણ થતાં ગૌતમભાઈને નીચે ઉતારી સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ગઈકાલે આ શ્રમિકનું મૃત્યુ નિપજયું છે. બનાવથી પોલીસને વાકેફ કરવામાં આવતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે.
આ બનાવ અંગે મૃતકના પત્ની મમતાબેન (ઉ.વ.ર૪)નંુ નિવેદન નોંધવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ગયા અઠવાડીયે મમતાબેન પોતાના સંતાન સાથે પતિને કહ્યા વગર જ નણંદના ઘેર ચાલ્યા ગયા હતા. તે બાબતનું માઠું લાગી આવતા ગૌતમભાઈએ આ પગલું ભરી લીધુ છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial