Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ કેબિનેટ મંત્રી, ધારાસભ્યો, ઉદ્યોગકારો, જીઆઈડીસી પ્લોટ એસો.ના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિતઃ
જામનગરના જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા આયોજિત છઠ્ઠા 'ટેક ફેસ્ટ-ર૦ર૬' મેગા ઔદ્યોગિક મેળાનું ઉદ્ઘાટન પ-નવતનપુરી ધામના આચાર્ય કૃષ્ણમણિજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટ-ખંભાળિયા બાયપાસ પર જીઆઈડીસીમાં તા. ૭-૧-ર૦ર૬ થી તા. ૧૦-૧-ર૦ર૬ સુધી વિશાળ ફલક પર ઔદ્યોગિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના ઉદ્યોગ સાહસિકો દ્વારા ર૬પ સ્ટોલ્સમાં તેમની ટેકનોલોજીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોવા મળશે. આજના ઉદ્ઘાટન સમારોહમાં પૂ. કૃષ્ણમણિજી મહારાજ ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખેમસૂર્યા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, જિલ્લા રાજ્ય પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, જીઆઈડીસી શેડ એન્ડ પ્લોટ એસોસિએશન (દરેડ) ના હોદ્દેદારો, કારોબારી સભ્યો, અન્ય ઉદ્યોગકારો, આમંત્રિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial