Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માણસો માટે ત્રીજુ સ્મશાન બને કે ન બને પણ...
જામનગર તા. ૭: જામનગરમાં ત્રીજા સ્મશાનની વર્ષોથી વાતો ચાલે છે, પરંતુ તેની અમલવારી થતી નથી. ત્યાં હવે મૃત ઢોર માટે સ્મશાન બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ માટે સવાછ કરોડના ખર્ચનોઅંદાજ રજૂ કરાયો છે.
જામનગરની વધતી જતી માનવ વસ્તીને ધ્યાનમાં રાખીને શહેરમાં ત્રીજા સ્મશાનની જરૂર છે. જામનગર મહાનગરપાલિકાએ આ બાબતનો બજેટમાં પણ સમાવેશ કર્યો હતો.
પરંતુ સ્મશાનની જગ્યા બાબતે મહાનગરપાલિકાના શાસકો અવઢવમાં છે. જ્યાં જગ્યા પસંદ થાય ત્યાં કોઈ કોઈને કોઈના વિરોધનો સામનો કરવો પડે છે.
આ ચોથા સ્મશાનના અંધકારમય ભવિષ્ય વચ્ચે હવે મૃત ઢોર માટે સ્મશાન બનાવવાનું આયોજન કરાયું છે. શહેરના ઢીંચડા વિસ્તારમાં રે.સ.નંબર ૪૮ પૈકીની જગ્યા રૂ।. ૬રર લાખ ૪૬ હજારના ખર્ચે આ સ્મશાન બનાવવાનો નિર્ણય ગત્ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં લેવાયો છે.
હાલ મૃત ઢોરને જમીનમાં દાટવામાં અનેક સમસ્યા નડે છે. લોકોની પણ વ્યાપક ફરિયાદો મળતી રહે છે કે પોતાને અસહ્ય દુર્ગંધ આવે છે. આ તમામ સમસ્યાના નિરાકરણ માટે મૃતક ઢોરના અગ્નિ સંસ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે સ્મશાન બનાવવામાં આવનાર છે.
આમ હવે જામનગરમાં માનવ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ત્રીજા સ્મશાનની લોકમાગ પૂર્ણ ક્યારે થશે તે નક્કી નથી, પરંતુ મૃતક ઢોર માટે સ્મશાન બનાવા આયોજન થઈ ચૂક્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial