Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના જોધપુર નાકા પાસે ગટર જામ થઈ જતાં દુકાનોમાં ઘુસ્યા ગંદા પાણી

ઊંડી તથા આડી અવળી ગટરોના કારણે ગટરો જામ થવાની સમસ્યાઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૬: ખંભાળીયાની મુખ્ય બજાર ગણાતા જોધપુર ગેઈટ વિસ્તારમાં ગઈકાલે ગટર જામ થતાં ચોકની આજુબાજુની દુકાનોમાં ગંદુ પાણી આવતા ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ કરતા પાલિકાના સફાઈતંત્ર દ્વારા દસેક વ્યક્તિઓ સાથે સવારથી વિવિધ મોટા મશીનોથી પ્રેસર તથા પાણીના ફુવારાથી સફાઈ કરવા પ્રયત્નો કર્યા હતા. જેમાં છેક સાંજે સફળતા મળી હતી. તથા સાંજે ગટર પૂર્વવત થઈ હતી.

જોધપુર ગેઈટ શહેરનો મેઈન વિસ્તાર છે પણ અહીં વારંવાર ગટરો જામ થવાનું અને છલકાવાના બનાવો બને છે. ગટરો ખૂબજ ઊંડી તથા આડી અવળી લાઈનો હોય, ગંદકી જામ થતાં ગટરો છલકાય છે ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા સમયાંતરે આ ગટરો સાફ કરવાની સાથે આગામી સમયમાં ભૂગર્ભ ગટર કરોડોના ખર્ચે બનવાની છે ત્યારે જોધપુર ગેઈટનો આ ગટર જામનો ગંભીર પ્રશ્ન ઉકેલાય તેવું આયોજન કરવાની માંગણી વ્યક્ત કરી છે. સપ્તાહમાં એકાદ વખત તો આ ગટર છલકાય જ છે. તથા કેટલાક દુકાનદારોએ ગટર ઉપર ચણતર કરી દીધું હોય, સફાઈ કર્મચારીઓને સફાઈમાં પણ પરેશાની થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh