Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં રિક્ષામાં સ્કૂલે આવતા-જતા બાળકોની જોખમી સવારીઃ જવાબદાર કોણ ?

                                                                                                                                                                                                      

જામનગરમાં સ્કૂલે વિદ્યાર્થીઓને લેવા મૂકવા જતી રિક્ષાઓ અને વેનમાં ક્ષમતા કરતા વધુ બાળકોને ભરવામાં આવતા હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે છે પરંતુ આ ગંભીર મુદ્દે કોઇ ગંભીર પગલા લેવાતા નથી. પ્રસ્તુત તસ્વીરમાં રણજીત રોડ પર દિપક ટોકીઝ નજીકનાં વિસ્તારમાં દોડતી સ્કૂલ રિક્ષામાં પાછળ ચાર બાળકો બેઠેલા જોવા મળે છે. બાળકો તો માસૂમ છે અને એની મસ્તીમાં છે અને અકસ્માતનાં જોખમથી અજાણ છે પરંતુ ટ્રાફિક પોલીસ ક્યાં છે? એ સવાલ ઉદ્ભવે છે. ૩૧ ડિસેમ્બરના સ્પેશ્યલ ડ્રાઇવ યોજી સપાટો બોલાવી દેનાર પોલીસ રોજ આવી સ્કૂલ રિક્ષાઓ અને વેનમાં અનેક માસૂમોની જિંદગી દાવ પર લાગે છે ત્યારે ક્યાં હોય છે? કોઈ અકસ્માત થાય તો કોની જવાબદારી? કારમી મોંઘવારીમાં થોડા વધુ પૈસા કમાઈ લેવા રિક્ષામાં  ક્ષમતા કરતા વધુ બાળકોને ભરનાર રિક્ષાચાલક કરતા આ મુદે આંખ મીંચામણા કરતા તંત્ર અને વાલીઓની જવાબદારી વધુ ઠેરવવી કે નહી? એ પણ ચિંતનનો વિષય છે. સુરતના તક્ષશિલા કાંડ કે વડોદરાના હરણી બોટ કાંડ કે મોરબી ઝૂલતા પુલ જેવી દુર્ઘટના સર્જાય પછી થોડો સમય નિયમોના કડક પાલન માટે જાગી ગયેલી સરકાર ધીમે ધીમે નિંદ્રાધીન થઇ જાય છે ફરી બીજો અકસ્માત ન થાય ત્યાં સુધી...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh